તલાટીની પરીક્ષા આપતા મિત્રો આ વાત જાણી લે : અત્યારે તલાટી ની પરીક્ષા ને લઈને ઉમેદવારો ખૂબ ગંભીર જોવા મળે છે કારણ કે પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે અને કોલ લેટર પણ આવી ગયા છે તેવામાં પરીક્ષા ની તારીખ 7 મે 2023 ના રોજ 12:30 કલાકે યોજવામાં આવશે હસમુખ પટેલ સાહેબ દ્વારા જાણ કરવામાં આવી છે કે પરીક્ષાની તમામ તૈયારીઓ ચાલી રહી છે અને સાથે સાથે તાલીમ પણ આપી રહી છે આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગડબડ ના થાય તે માટે રાજ્ય અને ઇન્ટેલિજન્સ બ્યુરો એલર્ટ છે.
તલાટીની પરીક્ષા આપતા મિત્રો આ વાત જાણી લે
રાજ્યમાં તલાટી કમ મંત્રીની કુલ 3437 જગ્યાઓ ભરવા માટે પંચાયત સેવા મંડળ દ્વારા આગામી સાતમી મેન 2020 ના રોજ પરીક્ષા લેવામાં આવશે આ ભરતી ની પરીક્ષા શાંતિ પૂર્વક માહોલમાં સંપૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને કોઈપણ ગેરનીતિ ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી સાહેબ ભુપેન્દ્ર પટેલ ના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાના મંત્રીમંડળની બેઠક મળી હતી આ બેઠક દ્વારા માહિતી મળી હતી કે રાજ્યના ગીર સોમનાથ ડાંગ નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્ર ના 28814 વર્ગખંડોમાં ઉમેદવારો પરીક્ષા આપશે.

ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે.
આ ઉપરાંત બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબે જણાવ્યું હતું કે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ ટૂંક સમયમાં સંપૂર્ણ કરી દેવામાં આવશે અને આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગરબડ ના થાય તે માટે પોલીસ તંત્ર અને રાજ્યના ઇન્ટેલિજન્સ એકદમ ચોક્કસ થઈ ગયું છે પેપરને ઘટના બન્યા બાદ સરકારી કાયદો બનાવ્યો છે. કોઈપણ ઉમેદવારને ગેર નીતિ ની માહિતી મળે તો તે રાજ્ય હેલ્પલાઇન નંબર પર જાણ કરી શકે છે આ સિવાય તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ તથા વેબસાઈટ પર પણ હેલ્પલાઇન નંબર મૂક્યા હોવાનું જણાવ્યું છે.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. studygovtexam.info દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.કોઈ પણ માહિતી માટે કોઈ studygovtexam.info પણ જવાબદારી લેતી નથી.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે કોઈપણ ગડબડ ના થાય તે માટે સંપૂર્ણ ચોકસાઈ દ્વારા પરીક્ષા લેવામાં આવશે તથા એ પણ જણાવવામાં આવેલું કે ઈન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ ઝાડ નક્કી કરવામાં આવી છે કોઈપણ તત્વો કે કોઈપણ વ્યક્તિ કરતા હશે તો તે પકડાઈ જશે.